જામનગરના મેઘપર (પડાણા) ગામે પરિણિતા ઘરમાંથી લાખોની મતા લઇ ભાગી ગઇ : કોર્ટ મેરેજ કરેલ હતા
જામનગર, તા. ૧૪ : મેઘપર (પડાણા) પો. સ્ટે. ગુમ રજી. નં. ૦૮/ર૦ર૧ ના કામે જાહેર કરનાર વિજયસિંહ જોરૂભા જાડેજા જાતે ગીર (ઉ.વ.૩૭) ધંધો ખેતી રહે. ઝાંખર ગામ તળાવ પાસે તા. લાલપુર વાળાએ તેમની પત્ની વિજયાબા (ઉ.વ.૩પ) ધંધો ગૃહકાર્ય ઘરેથી કોઇને કહ્યા વગર રૂપિયા આઠ લાખ તથા બુટીયા તથા કાનની સરૂ તથા પાટલા જે ત્રણ તોલાના તેમજ પગના સાકરા ચાંદીના તથા કોર્ટ કરેલ રજીસ્ટ્ર લગ્નમેરેજના કાગળો તથા તેમના ડોકયુમેન્ટ સાથે લઇ જતી રહેલ છે તેને શરીરે બાંધણી કલરની લાલ પીળા પટાવાળી સાડી તેમજ બ્લાઉસ લીલા કરલનું તેમજ ચણીયો લાલ કલરનો પહેરેલ છે. તેને કાળા લાંબા વાળ છે. વાને ઘઉંવર્ણી તથા આંખો કાળી છે.
આ અંગે પો. હેડ. કોન્સ. વિ.સી. જાડેજા મો. નં. ૯ર૬પર ૦૦પ૩૭ મેઘપર (પડાણા) પો. સ્ટે. નં. ૬૩પ૯૬ ર૭૮૪૯ જાણ કરવા જણાવાયું છે.