સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

માળિયાના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૪ : માળિયા તાલુકાના ભાવપર ગામના શ્રી નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્‍સવ તા. ૧૫ ને રવિવારે ઉજવાશે.

પુનઃ પ્રતિષ્ઠાના ધાર્મિક મહોત્‍સવમાં તા. ૧૫ ને રવિવારે સવારે યજ્ઞ પ્રારંભ, બાદમાં ધર્મસભા, ઈંડું ચડાવવાનું શુભ મુહુર્ત, ધ્‍વજારોહણ, મહાપ્રસાદ યોજાશે તેમજ યજ્ઞની પુર્ણાહુતી કરાશે અને મહા આરતી કરવામાં આવશે મહોત્‍સવમાં ગિરનારી આશ્રમ જુનાગઢ પ.પુ. ગુરુદેવ શ્રી હેતનાથબાપુ અને બગથળા શ્રી નકલંક મંદિરના મહંત દામજી ભગત ઉપરાંત મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા મગનભાઈ વડાવીયા સહિતના ઉપસ્‍થિત રહેશે.

જે મંદિર નિર્માણના પ્રેરણા દાતા સવજીભાઈ પરષોતમભાઈ પડસુંબીયા, મુખ્‍ય યજમાન સુભાષભાઈ સવજીભાઈ પડસુંબીયા તેમજ યજ્ઞના આચાર્ય શાષાી હસુભાઈ પંડ્‍યા રહેશે મહોત્‍સવનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્‍યું છે.

(12:33 pm IST)