ટંકારા ધ્રુવનગર પાસે કરણીસેના એકતા યાત્રાનું પાટીદાર સમાજમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વાગત
ટંકારાઃ ટંકારા ધ્રુવ નગર પાસે આવી પહોંચેલ કરણી સેના એકતા યાત્રાનું પાટીદાર સમાજમાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટનાં ઉપક્રમે ટ્રસ્ટનાં ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા અને ટ્રસ્ટી ગણ દ્વારા એકતા યાત્રાનાં જે.પી.જાડેજા અને ટીમનું કરાયું ભાવ ભીનું સ્વાગત અભિવાદન આ તકે કરણી સેના દ્વારા કચ્છનાં ઐતિહાસિક તીર્થ ધામ આશાપુરા માતા મંદિર અનેમાં કરણીની દિવ્ય જયોત સાથે આશાપુરા માતાનાં મઢ કચ્છથી સોમનાથ સુધી કરણી સેના આયોજિત એકતા યાત્રા અને આયોજકોને પ્રેરક આયોજન બદલ ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ અને ટ્રસ્ટી ગણ દ્વારા એકતા યાત્રા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ. ઉમિયા માતાનાં પ્રસાદીનાં ખેસ પહેરાવી,ભાવ ભીના સ્વાગત અભિવાદન બદલ કરણી સેના એકતા યાત્રાનાં જે.પી.જાડેજા અને ટીમ દ્વારામાં ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ,ટ્રસ્ટી ગણ અને પાટીદાર સમાજ નો કરણી સેના વતી જે.પી.જાડેજા અને ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. (તસ્વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા-ટંકારા)