સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

નરેન્‍દ્રભાઇ મુખ્‍યમંત્રી હતા, ત્‍યારે ૧૫ વર્ષ પહેલા જસદણ આવ્‍યા‘તા

 

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણતા.૧૪: જસદણમાં તા.૨૯ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી હોસ્‍પિટલના લોકોર્પણ અવસરે પધારી રહ્યાં છે ત્‍યારે તેઓ ગુજરાતના મુખ્‍યમંત્રી હતાં ત્‍યારે તે સમયના પાલિકાના પ્રમુખ ભાજપના વર્ષો જુના સક્રિય આગેવાન ઉદ્યોગપતિ જેન્‍તીભાઇ પોપટભાઇ રાઠોડના આમંત્રણને માન આપી તેઓ ખાસ જસદણ આવ્‍યાં હતા.

ત્‍યારબાદ તેઓ ઇસ્‍વીસન ૨૦૦૯માં ભાજપનાં ડો.ભરતભાઇ બોધરા ધારાસભાની ચૂંટણી પૂર્વ અને પછી જનસભા સંબોધી હતી, અને જસદણ પૈંથકમાં ભરતભાઇએ ઇતિહાસ રચતાં તેમને બિરદાવવા માટે ખાસ જસદણ આવ્‍યાં બાદ તેઓ આગામી દિવસોમાં આટકોટ પધારી રહ્યાં છે.વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ જસદણની પ્રથમ મુલાકાત લીધી હતી ત્‍યારે એમણે ઉદ્યોગપતિ અને નગરપાલિકાના પ્રમુખ જેન્‍તીભાઇ રાઠોડને સાથે રાખી શહેરના જીલેશ્વર પાર્કમાં વડનું રોપણ કર્યું હતું તે મ્‍હોરી ઉઠયો છે આમ નરેન્‍દ્રભાઇ મોદીની જસદણ પ્રત્‍યેની લાગણી ઉડીને આંખે વળગે છે.

(11:27 am IST)