કચ્છમાં દેશના પ્રથમ ખારેક સંશોધન કેન્દ્રનું તા. ૧૭ના લોકાર્પણ કરાશે
કચ્છ: કચ્છના ખેડૂતો માટે એક આનંદના સમાચાર છે કે કચ્છના ખેડૂતો મિત્રોઉપયોગ કરી શકશે ઈઝરાઈલની ટેકનોલોજી.. ઇઝરાયેલ સરકારના સહયોગથી ભારતના પ્રથમ ખારેક સંશોધન કેન્દ્ર માટે સરકારે કચ્છ જિલ્લાની પસંદગી કરી છે.
ભુજના લાખોંદ રોડ નજીક 10 એકરના વિશાળ ખારેક સંશોધન કેન્દ્ર નિર્માણ પામ્યું છે. ઇન્ડો ઇઝરાયેલ પ્રોજેક્ટ અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે ઉભુ થયેલા આ સંશોધન કેન્દ્રનું તા. 17 ના ઇઝરાયેલ અને ભારતના વડાપ્રધાન લોકર્પણ કરશે તેમ જાણવા મળેલ છે.