News of Wednesday, 13th December 2017
ઉનાના બંધારડા અને ગાંગડા બુથ ઉપર મતદાન રદઃ આવતીકાલે ફેર મતદાન
કર્મચારીની ભૂલને કારણે ચૂંટણી અધિકારી દ્વારા ફેર મતદાનનો નિર્ણય
ઉના તા.૧૩: વિધાનસભા સામાન્ય ચૂંટણી - ર૦૧૭ અન્વયે ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ વિસ્તાર માટે ગત તા.૯ને શનિવારના રોજ મતદાન યોજવામાં આવેલ જે પૈકી ૧૬૩-બંધારડા અને રર૪-ગાંગડા-૩ મતદાન બુથ ઉપર થયેલ ક્ષતિના કારણે ભારતના ચૂંટણી પંચ તરફથી ઉપરોકત બે બુથ પર થયેલ મતદાન રદ કરવા અને ફેરમતદાન યોજવા નિર્ણય કરવામાં આવેલ છે.
૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ વિસ્તારના ૧૬૩-બંધારડા તથા રર૪-ગાંગડા-૩ના મતદાન મથક પર ફેરમતદાન કાલે તા.૧૪ના રોજ સવારના ૮-૦૦ કલાકથી સાંજના પ-૦૦ કલાક દરમ્યાન યોજવામાં આવશે તેમ ચૂંટણી અધિકારી ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ઉનાની યાદીમાં જણાવાયું છે.
(11:46 am IST)