News of Wednesday, 13th December 2017
વડિયામાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન
વડિયા ઉત્કર્ષ મિત્ર મંડળ દ્વારા પાંચમાં સર્વજ્ઞાતિ સમુહલગ્ન આયોજન કરાયું હતું. જેમાં ૭ નવદંપતિ જોડાયા હતા. આ સમૂહલગ્ન જીઇબી રોડ શિતળા ધારે યોજાયા હતા. આ સમિતિના પ્રમુખ ભગવાનજીભાઇ પરમાર તથા અરૂણભાઇ ગોહેલ તેમજ શિતળા માતાજીના મહંત ભરતગીરી બાપુ, મનસુખભાઇ અગ્રાવત તથા મિત્ર મંડળ અને આ સમિતિ સમૂહલગ્નના મુખ્ય આચાર્ય જનકભાઇ ચંદુભાઇ આચાર્ય - હનુમાન ખીજડીયા દ્વારા આયોજીત કરવામાં આવેલ તેમજ ગત રાત્રીના બ્રહ્મસમાજના પ્રમુખ અશ્વિનભાઇ મહેતા દ્વારા બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બ્રાહ્મણ, સાધુ, લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. જેમાં તમામ નવદંપતિઓને કરીયાવર અર્પણ કરાયો હતો. (તસ્વીર - અહેવાલ : જીતેશગીરી ગોસાઇ, વડિયા)
(9:33 am IST)