ગોંડલ શ્રી ભુવનેશ્વરી પીઠના અધિપતિ અને સુપ્રસિદ્ધ ઘોડેશ્વાર પૂ. ઘનશ્યામ મહારાજ ઘોડા ઉપરથી પડી જતા ફ્રેકચર
રાજકોટ, તા. ૧૩ :. ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુવનેશ્વરી પીઠના અધિપતિ અને સૌરાષ્ટ્ર-ગુજરાતના જાણીતા ઘોડેશ્વાર પૂ. ઘનશ્યામ મહારાજ ઘોડી ઉપરથી પડી જતા તેમને પીઠના ભાગે ઈજા થતા હાલ હોસ્પીટલમાં સારવાર બાદ તેઓ પોતાના નિવાસ સ્થાને આરામમાં છે.
પૂ. ઘનશ્યામ મહારાજ ઘોડેસવારીમાં મોટુ નામ ધરાવે છે, પરંતુ નવી ઘોડી ઉપર પલોટતા હતા ત્યારે ઘોડી અચાનક ઝાડ થતા તેઓ પડી ગયા હતા અને વાસાના ભાગે ફ્રેકચર થતા રાજકોટની ખાનગી હોસ્પીટલમાં પાંચેક દિવસ સારવાર આપવામાં આવેલ. જો કે તેઓ ભયમુકત છે અને તબીબોઍ તેઓને આરામ કરવાની સલાહ આપી છે.
પૂ. ઘનશ્યામ મહારાજ શ્રી ભુવનેશ્વરી પીઠ તથા ઘોડેસ્વારી માટે સતત કાર્યરત રહે છે અને અનેક ધાર્મિક તથા સેવાકીય કાર્યક્રમો દ્વારા સેવાની જ્યોત જલાવી રહ્યા છે.