જામકંડોરણા તાલુકા ભાજપની કારોબારીની બેઠક મળી
જામકંડોરણાઃ તાલુકા ભાજપની કારોબારી બેઠક કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી બેઠકની શરૂઆત કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી આ બેઠકમાં રાજકીય પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. હતો. તેમજ તાલુકામાંથી કોરોનામાં મૃત્યુ પામેલ જીવાત્માઓને બે સિનીટ મૌન પાળી. શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી આ. બેઠકમાં કેન્દ્ર તથા રાજય સરકારશ્રીની કામગીરી અગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા,જામકંડોરણા તાલુકાના પ્રભારી. ઇન્દ્રજીતસિંહ ચુડાસમા,રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખગોવિંદભાઇ રાણપરીયા,જામકડોરણા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, મહામંત્રી ગૌતમભાઈ વ્યાસ, સુરેશભાઇ રાણપરીયા,માર્કટ યાર્ડના. ચેરમેન વિઠલભાઈ બોદર,તાલુકા, પંચાયતના પ્રમુખ હીરેનભાઈ બાલધા, ઉપપ્રમુખ કરશનભાઈ સોરઠીયા. સહિતના. આગેવાનો,તાલુકા ભાજપ કારોબારીના સભ્યો,તાલુકા ભાજપના. હોદેદારોએ હાજરી આપી હતી. બેઠક મળી તે તસ્વીર. (તસ્વીર : મનસુખભાઇ સી. બાલધા-જામકંડોરણા