કોડીનારના અરણેજ ગામની સગીરા રાત્રીને બધા સુતા રાખી નાસી ગઇ
કોડીનાર તા.૧૩ : તાલુકાના અરણેજ ગામની એક સગીરાને તેજ ગામનો એક યુવાન લગ્ન કરવાના ઇરાદાથી ભગાડી ગયા અંગેની ફરિયાદ યુવતીની માતાએ કોડીનાર પોલીસમાં આપતા પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.
બનાવ અંગે અરણેજના વાલીએ કોડીનાર પોલીસમાં ફરિયાદ જણાવ્યું તે ગત તા.ર૭-પ ના રોજ રાત્રે ઘરે બધા સુતા હતા તે વખતે સવારે ઉઠીને જોતા તેમની દિકરી પથારીમાં ન હોઇ આસપાસ તથા સગા સબંધીને ત્યાં તપાસ કરતા મળી આવેલ ન હોઇ ત્યારે આ દિકરીને ગામના વિપુલ કાનાભાઇ ગોહીલ સાથે ફોનમાં વાતચીત કરતા અગાઉ જોયેલ હોઇ જેથી વિપુલના ઘરે તપાસ કરતા તે પણ તેમના ઘરે હાજર ન હોઇ યુવતીની માતા અનીતાબેને પોલીસમાં વિપુલ કાનાભાઇ ગોહિલ જ તેમની સગીર દિકરીને ભગાડી ગયા અંગેની ફરિયાદ આપતા પોલીસે વિપુલને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા, વધુ તપાસ પી.આઇ. એ.એમ.મકવાણા ચલાવી રહયા છે.