કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી આજથી બે દિ'કચ્છ જિલ્લાના પ્રવાસે
(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૩: કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજયમંત્રી શ્રી કૈલાશ ચૌધરી આજે ૧૩મી અને ૧૪મી જુને કચ્છની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મંત્રીશ્રી આજે ૧૩મીએ સવારે ૧૧.૧૫ કલાકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુંદ્રા ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજરી આપશે.બપોરે ૩.૩૦ કલાકે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લેશે. સાંજે ૪.૦૦ કલાકે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીના ઘરની મુલાકાત લેશે. સાંજે ૪.૩૦ કલાકે સી.એસ.સી. સેન્ટરની મુલાકાત લઈને સાંજે ૬.૩૦ કલાકે ભુજ ખાતે પ્રવાસી સંમેલનમાં હાજરી આપશે.
મંત્રીશ્રી ૧૪મી જુનના રોજ સવારે ૮.૦૦ કલાકે ભુજ ખાતે સ્વચ્છ ભારતના કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૧૦.૦૦ કલાકે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. બપોરે ૧.૦૦ કલાકે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાથે 'દિશા' મીટિંગમાં હાજરી આપશે અને સાંજે ૬.૦૦ કલાકે ગાંધીધામ ખાતે પ્રવાસી સંમેલનમાં ઉપસ્થિત રહેશે.