સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th June 2022

ટંકારામાં ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન ઉકેલાયોઃ ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ

(હર્ષદરાવ કંસારા દ્વારા) ટંકારા ઁ: તા૧૩ ગામના આસાબાપીર સો. ચોરસ વાર જમીનમાં પાયાની સુવિધા પુરી પાડવા ભુગર્ભ ગટર યોજના કામનું બેબી મહેક માકડીયાના હસ્‍તે ખાત મુહૂર્ત કરાયુ હતું. જેથી લોકોનો ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન ઉકેલાશે તેવી આશા બંધાઇ હતી.
જેમાં રહીશો જાવેદ આમદભાઇ, જુમભાઇ શેખ, મસુભાઇ કાસમભાઇ, ઇકબાલ અલીભાઇ તૈલી, રામજુભાઇ કરીમભાઇ, બાળુભાઇ ભરવાડ, અમરસીભાઇ પરમાર, સામાજીક કાર્યકર હેમંતભાઇ ચાવડા, હાજર રહ્યા હતા.

 

(10:18 am IST)