જામનગરમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થતા આયુર્વેદિક હોસ્પિટલમાં વાહનોના થપ્પા : જી.જી.હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે મંડપની સુવિધા
જામનગર તા.૧૩, જામનગરમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધારો થતા આયુર્વેદિક હોસ્પિટલમાં વાહનોના થપ્પા લાગ્યા છે જ્યારે જી.જી.હોસ્પિટલમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે મંડપની સુવિધા ઉભી કરવામાં આવી છે.
છેલ્લા થોડા દિવસોથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થાય છે જેના કારણે તંત્ર દ્વારા દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
જેમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા જામનગર, રાજકોટ, મોરબી સહિત સૌરાષ્ટ્ર દર્દીઓ અને તેના સંબંધીઓ માટે આયુર્વેદિક હોસ્પિટલ ના ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
જ્યારે જીજી હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા સંબંધીઓ માટે મંડપ નાખીને બેસવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જી.જી હોસ્પિટલ ખાતે કોરોના સિવાય અન્ય સુવિધાઓ હાલ પૂરતી બંધ કરવામાં આવી છે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રમાંથી ૪૦થી ૫૦ ટકા દર્દી ઓ સારવાર માટે આવે છે.