સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

જામકંડોરણાના તલાટી મંત્રીનો વિદાય સમારંભ

 જામકંડોરણાના તલાટીમંત્રી મહેન્દ્રસિંહ જાડેજાની અન્યત્ર બદલી થતાં તેમનો વિદાય સમારંભ જામકંડોરણા ખાતે ગ્રામ પંચાયતના હોદ્દેદારો, ગામના વેપારીઓ બારોટ સમાજના યુવક મંડળ, વકીલ મંડળ દ્વારા તલાટી મંત્રી જાડેજાનું સન્માન કરી તેમની કામગીરી  બિરદાવી વિદાયમાન અપાયું હતું.  આ પ્રસંગે જામકંડોરણાના સરપંચ જશમતભાઇ કોયાણીપ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, કારોબારી ચેરમેન કરપસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી કિરણભાઇ દવે, ગ્રામ પંચાયત સહિતના આગેવાનો, અધિકારઓ તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી . તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, સરપંચ જશમતભાઇ કોયાણી, તાલુકા વિકાસ અધિકારી દવેએ પ્રાસંગીક પ્રવચનમાં મંત્રી જાડેજાની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવેલ અને નવ નિયુકત મંત્રીનું સ્વાગત  સન્માન કરવામાં આવેલ  વિદાય સન્માન  સમારંભની તસ્વીરો

(11:29 am IST)