સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th October 2021

મોરબીના મંજુર થયેલ રોડ રસ્તા મામલે ગાંધીનગર ખાતે મંત્રી અને ઉધોગકારોની મીટીંગ યોજાઈ

મોરબીના મહેન્દ્રનગરથી અણીયારી, પીપળી રોડ અને મહેન્દ્રનગરથી હળવદ ફોરટ્રેક રોડ મંજુર થયો છે જેનું ફોલોઅપ અને ટેકનીકલ ચર્ચા માટે મંત્રી બ્રીજેશભાઈ મેરજાએ સિરામિક એસો અને બંને રોડના ઉદ્યોગકારો સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારી એન કે પટેલ સાથે સંયુક્ત મીટીંગ ગાંધીનગર ખાતે યોજી હતી

જે મીટીંગમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ભાજપ અગ્રણી જયંતીભાઈ કવાડિયાની ઉપસ્થિતી બંને રોડ મા રોડની ગુણવત્તા, પાણીના નિકાલ તેમજ વધુ ખરાબ થતા રસ્તાની જગ્યાએ સીસી રોડ ત્થા જરૂર જણાય ત્યા સર્કલ વગેરે ટેકનીકલ બાબતોની ચર્ચાઓ કરીને જે તે વિભાગોને આ રોડ સત્વરે ચાલુ થાય તે માટે મંત્રી બ્રીજેશભાઈ મેરજાએ જરૂરી સુચનાઓ આપી હતી મીટીંગમાં એસોના ચારેય પ્રમુખો મુકેશભાઈ કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા, વિનોદભાઈ ભાડજા, કીરીટ પટેલ  મુકેશભાઇ ઉઘરેજા અને ટીમ ઉપસ્થિત રહી હતી

(11:13 pm IST)