News of Saturday, 12th September 2020
મજુરી કામ ન મળતા ચોરવાડનાં યુવાનનો ઝેરી દવા પીને આપઘાત
બેરોજગારીએ વધુ એકનો ભોગ લીધો
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૧૨: જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના છોડવડી ગામના એક વૃધ્ધે પાક નિષ્ફળ જતા બે દિવસ પહેલા અગનપછેડી ઓઢી લીધી હતી. આ દરમ્યાન ચોરવાડનાં ખીલાવાવ વિસ્તારમાં રહેતા સતીષભાઇ જેન્તીભાઇ પંડીત (ઉવ.૨૧) નામના યુવાને તા. ૧૦ના રોજ ઝેરી દવા પી લેતા તેને ચોરવાડ સીએસસીમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
મૃતક યુવક મજુરી કામ કરતો હતો.પરંતુ હાલ મજુરી કામ મળતુ ન હોય જેનુ તેને લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી મોતની સોડ તાણી લીધી હતી.
વિશેષ તપાસ હેડ કોન્ડ. પી.જેે ડાભી ચલાવી રહ્યા છે.
(2:57 pm IST)