સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

બાબરામાં પંચકુંડમાં શ્રી નીલકંઠ મહાદેવના સાનિધ્‍યમાં ભુદેવોએ સમૂહ નૂતન જનોઈ ધારણ કરી

  બાબરા :  શ્રાવણ સુદ પૂનમ એટલે બળેવનું પર્વ આજના દિવસે ભૂદેવો સમૂહ નૂતન જનોઈ ધારણ કરી પર્વની ઉજવણી કરે છે. બાબરામાં બ્રહ્મસમાજ દ્વારા પંચકુંડ ખાતે શ્રી નીલકંઠ મહાદેવના સાનિધ્‍યમાં વિદ્વાન ભુદેવ  યગ્નેશભાઈ શુકલના આચાર્ય પદે સમૂહ નૂતન જનોઈ ધારણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભૂદેવો દ્વારા પવિત્ર પંચકુંડ માં સ્‍નાન કાર્ય કરી તર્પણ વિધિ કરી વિધિ વિધાન સાથે યગ્નેશભાઈ શુક્‍લ દ્વારા નૂતન જનોઈ ધારણ કરાવી હતી.

(1:56 pm IST)