શહેર ભાજપ આયોજીત તિરંગાના રંગે રંગાયુ અમરેલી હર ઘર તિરંગા યાત્રા
અમરેલીઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી શહેરમાં શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ એમને પ્રેરણા આપે છે. બહોળી સંખ્યામાં સૌ યાત્રામાં સહભાગી બનીર રહ્યા છે. તિરંગો એ આપણા સૌનું ગૌરવ છે. તિરંગાના સન્માનમાં આયોજિત આ યાત્રા લોકોને આપણો ભવ્ય વારસો યાદ અપાવે છે. આ તકે જિ. પં. પ્રમુખ રેખાબેન મોવલિયા, સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, અમરેલી નગરપાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, પૂર્વ ધારાસભ્ય વી વી વઘાસિયા, શ્રી કાળુભાઈ વિરાણી, પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર, મંડળ મહામંત્રી રાજેશભાઈ માંગરોળીયા, ભરતભાઈ મકવાણા સહિત શહેર ભાજપના હોદ્દેદારો શહેર મંડળ મોરચાના હોદ્દેદારો નગરજનો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.