સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th July 2021

પોરબંદર : જવાહરભાઇ ચાવડાના હસ્તે નિવૃત શિક્ષકોનું સન્માન

પોરબંદર : પ્રવાસન અને મત્સ્યોઉદ્યોગ મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા પોરબંદર જિલ્લાના થેપડા ગામની મુલાકાત લઇને બે નિવૃત શિક્ષકોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ સહિત અગ્રણીઓએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. મંત્રીશ્રીએ આ તકે નિવૃત થયેલા બંને શિક્ષકો દેવાનંદભાઇ કંડોરિયા તથા રસિકભાઇ મિથીયાનું નિવૃત જીવન તંદુરસ્તમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત બંને શિક્ષકોને મંત્રીશ્રીએ શાલ ઓઢાડીને અભિવાદન કર્યું હતું. ગામના અગ્રણીઓ તથા શિક્ષકોએ મંત્રીશ્રીને શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સરપંચ લીલાભાઇ રાવલિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત શિક્ષકોના સન્માનની તસ્વીર.

(1:25 pm IST)