જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી ૪ ફેબ્રુઆરીના
જામનગર, તા.૧૨ : જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી તા. ૪-૦૨-૨૦૧૮ના રોજ યોજાનાર છે. જેનો ચુંટણી કાર્યક્રમ નીચે મુજબ છે.
ક્રમ |
વિગત |
કાર્યક્રમ |
૧ |
ચુંટણી નોટિસો/ જાહેરનામા પ્રસિધ્ધ કરવાની તારીખ |
તા.૧૫/૦૧/૨૦૧૮ |
૨ |
ચુંટણી અધિકારીશ્રીએ ચુંટણી નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ |
તા.૧૫/૦૧/૨૦૧૮ |
૩ |
ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ |
તા.૨૦/૦૧/૨૦૧૮ |
૪ |
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ |
તા.૨૨/૦૧/૨૦૧૮ |
૫ |
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ |
તા.૨૩/૦૧/૨૦૧૮ |
૬ |
મતદાનની તારીખ તથા સમય |
તા.૦૪/૦૨/૨૦૧૮ (રવિવાર) |
|
|
સવારના ૮ થી સાંજના ૫ કલાક સુધી |
૭ |
જરૂર જણાય તો પુનઃ મતદાનની તારીખ |
તા.૦૫/૦૨/૨૦૧૮ |
૮ |
મતગણતરીની તારીખ |
તા.૦૬/૦૨/૨૦૧૮ |
આ ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજનવાળી, મધ્યસત્ર ચુંટણીઓ હેઠળની ગ્રામ પંચાયત હેઠળના ગામોમાં તથા તેના વોર્ડ બેઠકો વિસ્તારમાં તા.૦૮/૦૧/૨૦૧૮ના રોજ જાહેરાતથી આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે. ચુંટણીમાં ઉમેદવાર ઉમેદવારીપત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલ્કત અને દેવા બાબતનુ એકરારનામુ ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરવાનુ રહેશે. આ ચુંટણીમાં મતદાન સમયે, મતદારે ભારતના ચુંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર રજુ કરવાનુ રહેશે પરંતુ વ્યાજબી કારણોસર રજુ કરી શ્કે તેમ ન હોય તો સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર, રાજય ચુંટણી આયોગના તા.૨૬/૧૧/૨૦૧૬ના આદેશ ક્રમાંકઃ રાચઆ-ચટણ-સ્થા-સ્વ-૨૫-૧૧૨૦૧૬ક થી નિયત કરેલ જુદા જુદા ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ રજુ કરી શકશે. રાજય ચુંટણી આયોગે આ ચુંટણી માટેના મતદાનનો સમય સવારે ૮ કલાકથી સાંજના ૫ કલાક સુધીનો નક્કી કરેલ છે. કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને નિર્ભય રીતે મતદારો મતદાન કરી શકે તે અંગે પુરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. આ ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર તેમજ વિભાજનવાળી ચુંટણીમાં ઇવીએમ (ઇલેકટ્રોનિક વોટીંગ મશીન)ના ઉપયોગથી મતદાન લેવામાં આવશે તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.