દેવભુમી દ્વારકા જીલ્લામાં વધુ ૮ પોઝીટીવ કેસઃ પ૦ કોરોના મુકત
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૧ : દેવભુમી દ્વારકા જિલ્લામાં ગઇકાલે દ્વારકામાં ત્રણ કલ્યાણપુરમાં એક તથા ખંભાળિયામાં ચાર સાથે કુલ આઠ કોરોના પોઝીટીવ આવ્યા હતા.
નવા આઠ કેસોમાં નીતીનભાઇ હીરાભાઇ અણધર (ઉ.વ.૩પ) રહે. જલાબીયા વાડીધ રમપુર, વનીતાબેન કનૈયાલાલ પલાણ (ઉ.વ.૬૮) ગરબી ચોક રામનાથ સોસાયટી, રામજીભાઇ ડાયાભાઇ કણઝારીયા (ઉ.વ.૬પ) નગર ગેઇટ નવા નાકા પાસે, સતવારા સમાજની વાડી સામે સામુબેન દામભાઇ કણઝારીયા ઉ.વ.૬પ, બંગલાવાડી ખંભાળિયામાં ભગવત ગિરજાશંકર વ્યાસ, દ્વારકામાં રક્ષાબેન સોમૈયા, દ્વારકા કાનદાસબાપુ આશ્રમ પાસે પરેશભાઇ નંદાણીયા દ્વારકા શિવરાજપુર વાડી વિસ્તારમાં પ્રિયંકાબેન વિશ્વમાને કોરોના પોઝીટીવ નીકળતા ખંભાળિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે.
કોરોના મહામારીના સંદર્ભમાં સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં તો સારવાર રીકવરીના દર સારો રહયો છે. સાથો સાથ કેટલાયે હોમ આઇસોલેશન થતા હોય તેમાં પણ ઉંચા દર સુધારાનો નોંધાયો છે.
દ્વારકા જિલ્લામાં ગઇકાલે ભાણવડમાંથી ૧૭, દ્વારકામાંથી રર અને ખંભાળિયામાંથી ૧૩ મળીને કુલ પર ડિસ્ચાર્જ થયા તેમાંથી પ૦ તો હોમ આઇસોલેશનમાં પોતાના ઘેર હતા અને ઘર બેઠા મેડીકલ સારવારથી તેમણે કોરોનાને મહાત આપી હતી.