કુતિયાણા-મહિયારી વચ્ચે સ્કુલ બસ પલ્ટી જતા ૩૦ બાળકોને કોંગ્રેસના આગેવાનોએ બચાવ્યા
પોરબંદર, તા. કુતિયાણા-મહિયારી વચ્ચે સ્કુલ બસના ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ પલ્ટી જતા ૩૦ બાળકોને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બચાવી લીધા હતા.
કુતિયાણા થી અમે મહિયારી જતા હતા ત્યારે અમારી આગળ એક બસ જતી હોય અને ડ્રાઇવર એ બસ નો કાબૂ ગુમાવ્યો હોય તે અને નજરે જોય રહ્યા હોય ત્યારે અચાનક બસ પલટી ખાઇ જતાં ૨૫ થી ૩૦ બાળકો ને રેસ્કયુ ઓપરેશન કરી જાન ના જોખમે બાળકો અને શિક્ષકો અને બસ મા ડ્રાઇવર ને જાન ના જોખમે બચાવી લીધા હતા તેમ મહિયારીના કોંગ્રેસ આગેવાન કેશુભાઈ પરમાર, કોંગ્રેસ આગેવાન રાજવીરભાઈ મોઢવાડિયા, આદિત્યાણાના કોંગ્રેસ આગેવાન વર્ષા બેન ખુંટી, આસિસ્ટન્ટ આરતી બેન મોઢવાડીયા, જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું. (તસ્વીરઃ અહેવાલ - પરેશ પારેખ, પોરબંદર)