કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા ડેપ્યુટી કમિશનરની ખાલી ખુરશીને આવેદનપત્ર પાઠવ્યું
જામનગરના વોર્ડ નંબર ૬માં દિગ્જામ સર્કલ પાસેના રેલવે ઓવરબ્રિજના નિર્માણ બાદ પણ છેલ્લા કેટલાય સમયથી લોકાર્પણ નથી કરવામાં આવ્યુ તેવા આક્ષેપ સાથે
જામનગરઃ જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા ડેપ્યુટી કમિશનરની ખાલી ખુરશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જામનગરના વોર્ડ નંબર ૬માં આવેલા દિગ્જામ સર્કલ પાસેના રેલવે ઓવર બ્રિજના નિર્માણ થઇ ગયા બાદ પણ છેલ્લા કેટલાય સમયથી લોકાર્પણ નથી કરવામાં આવ્યું તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ અને વિરોધ પક્ષના કોર્પોરેટરો વિપક્ષી નેતાની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવા માટે કમિશનર અને ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં પહોંચ્યા હતા. ત્યારે કોઈ પણ અધિકારીઓ હાજર ન હતા. જેથી ડેપ્યુટી કમિશનરની ખાલી ખુરશી ને આવેદન આપી અનોખી રજૂઆત કરવામાં આવી છે. બીજાં સર્કલ પાસેના રેલવે ઓવરબ્રિજ ને તાત્કાલિક લોકાર્પણ કરી આ બ્રિજને ડો. બાબાસાહેબ ભીમ રાવ આંબેડકર બ્રિજ નામકરણ કરવાની માગણી કરવામાં આવી છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)