જુનાગઢમાં સંતસમાગમ યોજાયુ
જુનાગઢ, તા. ૧૦ : સંતશ્રી મુકતાનંદબાપુ નાં સાનિધ્યમાં કૃષિ યુનિવર્સિટી ઓડીટોરીયમ ખાતે શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારીજી દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નિરંતર અત્યંત દુર્લભ અને કઠીન રૃદ્રાભિષેક મહાદેવનાં દિવ્ય પુજન ઉપરાંત આપણું સામાજીક કર્તવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા સાથે ગૌરક્ષ આશ્રમ નાં સંતશ્રી શેરનાથબાપુ, સતાધાર નાં પુજનીય સંત શ્રી વિજયબાપુ, પાળીયાદ થી પરમ વંદનીય બા, વિવિધ ક્ષેત્રોના સંતો મહંતો તથા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખ પુનિતભાઈ શર્મા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, સંજયભાઈ મણવર, નરસીંહ મહેતા યુનિવર્સિટી નાં વાઇસ ચાન્સેલર ચેતનભાઈ ત્રીવેદી, સેનેટ વિશાલભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા.
સંતો દ્વારા આપણું સામાજીક કર્તવ્ય વિષય ઉપર ગોષ્ઠિ કરવામાં આવી હતી અને શબ્દશઃ અર્થ સાથે વિસ્તારપુર્વક લોકોને માર્ગદર્શન આપ્યું હતું...
જુનાગઢ ની ધરતી ઉપર આજનાં આ સંત સમાગમ થી પરીવાર પ્રેમ, સમાજ પ્રેમ અને રાષ્ટ્ર પ્રેમ વિશે વિસ્તૃત ચર્ચાઓ ચાલી હતી અને લોકોને એક નવી ઉર્જા ની અનુભૂતિ થઈ હતી...
વિશેષ માં જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરમ વંદનીય ક્રાન્તિકારી સંત મુકતાનંદબાપુ તથા સંપુર્ણાનંદ બ્રહ્મચારીજી બાપુનુ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્મા સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ નાં પ્રમુખ છેલભાઈ જોષી, આરતીબેન જોશી, મુકેશ મહેતા, ભરતભાઈ લખલાણી, સંજય પંડ્યા, ચંદ્રીકાબેન પંડ્યા, ગીજુભાઈ વીકમા, કનકબેન વ્યાસ, ગીતાબેન મહેતા, કૈલાસબેન વેગડા, દક્ષાબેન જોષી, પપ્પુભાઇ પંડ્યા, આશિષ રાવલ, રાજુભાઇ ભટ્ટ, મધુબેન જોષી તથા જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ નાં અગ્રણીઓ અને વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજ નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.