સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 10th August 2021

4200 ગ્રેડ પે ને લઈને મહુવાના શિક્ષકો દ્વારા શાસનાધિકારીને આવેદન પત્ર અપાયું

શિક્ષકોને 4200 ગ્રેડ પે ને લઈને માત્ર 2800 ચૂકવવામાં આવે છે : 15 હજાર જેટલા શિક્ષકોને અસર

ભાવનગર :  4200 ગ્રેડ પે ને લઈને મહુવાના શિક્ષકો દ્વારા શાસનાધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું . નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શિક્ષકોને 4200 ગ્રેડ પે ને લઈને માત્ર 2800 ચૂકવવામાં આવે છે જેને લઈને મહુવાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમા શિક્ષકોએ શાસનાધિકારી સુરેશ પંડ્યાને આવેદન પત્ર પાઠવ્યું હતુ. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે 15 હજાર જેટલા શિક્ષકોને અસર થઈ રહી છે.

(12:20 am IST)