દ્વારકા નજીક ખોડીયાર ચેક પોસ્ટ પાસે ટ્રક પાછળ કાર ઘુસી ત્રણ ગોથલીયા મારી જતાં એકનું મોત
કાર ચાલકને ઇજા થતા સારવારમાં: આધેડના મોતથી પરિવારમાં શોક છવાયો
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૦ : મીઠાપુરના આરંભડા ગામે રહેતા અને ટ્રક ડ્રાઇવીંગ કરતા પ્રકાશભા બોદાભા હાથલ કઉ.વ.ર૮)નાએ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદ જણાવ્યું છે કે ગઇકાલે પોતે પોતાના ટ્રક લઇને મીઠાપુરથી મીઠુ ભરીને ઓખા મઢીજતાં હતા. ત્યારે ખોડીયાર ચેક પોસ્ટ પાસે ગોલાઇ પાસે પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવતી જેજે૩૭ટીપ૪૪૯ નંબરની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જઇ ડિવાઇડર ઉપર ચડી ગઇ હતી અને ત્રણ જેટલા ગોથલીયા મારી જતાં અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી ગયા હતા. કારમાં સવાર દ્વારકાના મનસુખભાઇ પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ. જયારે કાર ચાલક બુધાભાઇ નાયાભાઇ ચાન પાને ગંભીર ઇજા થવાથી ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવતા બનાવ અંગે દ્વારકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.