જુનાગઢ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિરે હિડોળા દર્શન ખુલ્લા મુકતા સંતો
જુનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર કે જયાં ભગવાન સ્વામીનારાયણના સ્વહસ્તે પધરાવેલ રાધા રમણ દેવ, રણછોડરાય, ત્રિકમરાય અને સિધ્ધેશ્વર મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. જે શ્રાવણ માસ નિમિતે વૈષ્ણવિક પરંપરા મુજબ કલાત્મક હિંડોળાનું ગઇકાલે ગિરનાર મંડળના સંતો પૂ. મુકતાનંદબાપુ, પૂ. ઇન્દ્રભારતીબાપુ, પૂ. મહાદેવ ભારતીબાપુ, પૂ. જગજીવનદાસબાપુ, પૂ. મહાદેવગીરીજી સહિતના સંતોના હસ્તે ઉદઘાટન કરી ભાવિકો માટે દર્શનાર્થે ખુલ્લા મુકાયા હતાં. આ પ્રસંગે ચેરમેન દેવનંદનદાસજી કોઠારી, પ્રેસ્વરૂપદાસજી (નવાગઢવાળા) તથા ટ્રસ્ટી સરજુદાસાનંદજી પી. પી. સ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સંતોનું પુષ્પહાર પહેરાવી શાલ ઓઢાડી સિધ્ધેશ્વર મહાદેવની છબી અર્પણ કરી સન્માન કર્યુ હતું. બાદમાં સૌ સંતોએ સિધ્ધેશ્વર મહાદેવ સહિત દેવોની આરતી કરી હતી આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે. મેયર હિમાન્સુ પંડયા, શહેર ભાજપના પ્રમુખ પુનીત શર્મા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)