News of Tuesday, 10th August 2021
કચ્છમાં બકરા ચરાવવાની તકરારમાં યુવાનની હત્યા
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : વર્તમાન સમયમાં સામાન્ય મુદ્દે થયેલી બોલાચાલી બાદ મારામારી અને હત્યા જેવા બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કચ્છના માંડવી તા.ના કોજાચોરા ગામે ૩૦ વર્ષીય યુવાન ઈસ્માઈલ ઉર્ફે હાજી ઉમર ચૌહાણની લાશ વિજયસાગર ડેમ પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. જે અંગે મૃતકના ભાઇ મામદ ચૌહાણે કરેલ પોલીસ ફરિયાદમાં હત્યાનો બનાવ હોવાનું જણાવ્યું છે.
કોજાચોરા ગામના જ રાજમામદ રહેમતુલ્લા સુમરા સામે આ અંગે હત્યાનો આરોપ મૂકયો છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મૃતક ઇસ્માઇલ ઉર્ફે હાજી અને હત્યારા રાજમામદ વચ્ચે બકરા ચડાવવાના મુદ્દે બોલાચાલી સાથે તકરાર થઈ હતી. બે દિવસ પહેલાં જ રાજમામદે મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:08 am IST)