News of Friday, 10th June 2022
બે પ્રધાનોનો કેશોદ માંગરોળનો પ્રવાસ કાર્યક્રમ
જૂનાગઢ,તા.૧૦ : કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ કેશોદ માંગરોળના પ્રવાસે આવનાર છે. ૧૦ જૂનના રોજ બપોરે ૧૫ કલાકે કેશોદ આવી માંગરોળ તાલુકાનો પ્રવાસ કરશે
પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી દેવાભાઈ માલમ તારીખ ૧૧ અને ૧૨ જૂનના રોજ કેશોદ માંગરોળ તાલુકાના -પ્રવાસે આવનાર છે. તેઓશ્રી તા.૧૧ જૂનના રોજ કેશોદ માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેશે. મંત્રીશ્રી તારીખ ૧૨ જૂનના રોજ કેશોદ ખાતે તેમના કાર્યાલયે લોકો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળશે.
(1:25 pm IST)