News of Friday, 10th June 2022
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરમાં કાલે મીઠાઇના અન્નકૂટ દર્શન
વાંકાનેર,તા. ૧૦ : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુરધામમાં આવતીકાલે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર આયોજીત શનિવારના પવિત્ર દિવસે દાદાના દરબારમાં તારીખ ૧૧/૬/૨૨ના રોજ સવારે મંગળાઆરતી સવારે ૫:૩૦ કલાકે થશે. તથા શણગાર આરતી સવારે સાત કલાક થશે. આ ઉપરાંત વિશેષમાં સવારે ૧૧:૧૫ કલાકે મીઠાઇના અન્નકૂટ દર્શન રાખેલ છે ઘર બેઠા ઓનલાઇન ઉત્સવના દર્શન નિહાળો Only ON > YOU TUBE SALANGPUR HANUMANJI ઉપર કાયમ આવે જ છે જે યાદી શાષાી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, પુજારી સ્વામીશ્રી ડી.કે.સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.
(11:52 am IST)