જામકંડોરણાના વૈભવનગર ગામે પુષ્ટિ સિધ્ધાંત સિંચન શિબિર યોજાઇ
મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ બહેનોએ હાજરી આપી વચનામૃતનો લાભ લીધો
(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૧૦ : મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી દ્વારા પ્રકટિત શાષાસિધ્ધ સિધ્ધાંતોને સમાજમાં ખાસ કરીને બાળકો અને યુવાનોમાં સ્થાપિત કરવા માટે અને સ્વમાર્ગીય પરંપરાને ઉજ્જવળ કરવા માટે પોરબંદરના યુવા વૈષ્ણવાચાર્ય પ.પુ.પા.ગો.૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રી દ્વારા પુષ્ટિ સિધ્ધાંત સિંચન અભિયાનના ભાગરૂપે જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામે શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ બહેનોએ હાજરી આપી હતી અને શ્રી જયવલ્લભલાલજી મહોદયના વચનામૃત અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ શિબિરમાં રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા, ચેતનાબેન રાદડીયા, હંસરાજબાપા રાદડીયા તેમજ મરજાદીઓ અને વૈષ્ણવોએ હાજરી આપી હતી.