સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th June 2022

હું ત્રીજી પેઢીએ કોંગ્રેસના ધારાસભ્‍ય તરીકે કાર્યરત છું અને કોંગ્રેસમાં જ વફાદારી પુર્વક રહીશઃ ચિરાગ કાલરીયા

રાજકોટ, તા., ૯: જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્‍ય ચિરાગભાઇ કાલરીયાએ અકિલાને જણાવ્‍યું હતું કે, સોશ્‍યલ મીડીયામાં જુદી જુદી વાતો ફેલાઇ છે પરંતુ હું કોંગ્રેસના ધારાસભય તરીકે જ કાર્યરત છું. મારી ત્રીજી પેઢીએ કોંગ્રેસના ધારાસભ્‍ય તરીકે સેવા આપુ છું. મારા દાદા અને મારા પિતાશ્રી પણ કોંગ્રેસના ધારાસભ્‍ય રહી ચુકયા છે. વફાદારી પુર્વક કોંગ્રેસ પક્ષમાં રહીને લોકોની સેવા કરીએ છીએ.

(5:05 pm IST)