સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

ભાવનગરમાં કોરોના બેના મોત અને 6 નવા કેસ નોંધાયા

હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવદર્દીઓની સંખ્યા 75 રહેવા પામી

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર: ભાવનગરમાં આજે કોરોનાથી બે ના  મોત નિપજ્યા છે .જ્યારે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે.

કોરોનાવાયરસએ ભાવનગરમાં વધુ બેનો ભોગ લીધો છે. આજે ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા 75 વર્ષના વૃદ્ધાનું તેમજ શહેરના વિઠ્ઠલવાડીમાં રહેતા 30 વર્ષીય મહિલાનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. 30 વર્ષની મહિલા હજી ગઈકાલે જ કોરોના પોઝિટીવ થઇ હતી.
ભાવનગર શહેરમાં આજે 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે  ભાવનગર ગ્રામ્ય માં 1 કેસ નોંધાયા છે. આજે ભાવનગર શહેરમાંથી 30 અને ભાવનગર ગ્રામ્ય માંથી 6 સહિત કુલ 36 દર્દીઓ ડિસ્ચાર્જ થયેલ છે
આજે ભાવનગરમાં બે મોત નિપજતા ભાવનગર જિલ્લામાંઅત્યાર કોરોના નો મૃત્યુઆંક વધીને 364 થવા પામ્યો છે .હવે ભાવનગરમાં કોરોનાના એક્ટિવદર્દીઓની સંખ્યા  75 રહેવા પામી છે.

 

(9:00 pm IST)