જૂનાગઢ શ્રી સંહિતા મહિલા મંડળના પ્રમુખ વિણાબેન પંડયાની આજે પ્રથમ પુણ્યતિથી
તેમની સમાજસેવાને આજે પણ લોકો યાદ કરે છે : બ્રહ્મસમાજ દ્વારા શ્રધ્ધાંજલી
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૮ : જૂનાગઢના ઔદિચ્ય ખરેડી બ્રહ્મસમાજના મહિલા અગ્રણી અને સંહિતા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિણાબેન શૈલેષભાઇ પંડયાનું તા. ૮/૮/૨૦૨૧ રવિવારના રોજ ૫૩ની ઉંમરે અવસાન થતા વિવિધ સેવાભાવી સંસ્થા અને પરિવારને આંચકો લાગેલ.
આજથી ૭ વર્ષ અગાઉ વિણાબેન પંડયાએ માનવ સેવા એ જ પ્રભુ સેવા મંત્ર ચરિતાર્થ કરી શ્રી સંહિતા મહિલા મંડળની સ્થાપના કરી જરૂરીયાતમંદ ગરીબ પરિવારોને અનાજનું વિતરણ વષાદાન ગૌશાળાની ગાયોને લાડુ તથા નિરણની સેવા આપનાર અને વૈષ્ણવજન તો તેને કહીયે જે પીડ પરાઇ જાને જેવું તેમનું જીવન હતુ તેઓ અત્યંત લાગણીશીલ અને માયાળુ સ્વભાવના કરૂણામુર્તિ હતા. તેઓ અન્ય સંસ્થામાં પણ સેવા આપતા તેમણે શરૂ કરેલ શ્રી સંહિતા મહિલા મંડળમાં આજે તેમના પુત્રવધુ ડિમ્પલ, પાર્થ પંડયા તથા ચેતનાબેન પંડયાએ તેમની સ્મૃતિ કાયમ જાળવી રાખી છે. આજે વિણાબેનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ તેમના પતિદેવ શૈલેષભાઇ પંડયા તથા પરિવારજનોએ ગાયોને ઘાસ ખવડાવી અને સેવાદીન તરીકે શ્રધ્ધાંજલી આપી છે. ઉપરાંત જૂનાગઢ જિલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કે.ડી.પંડયા તથા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી, છેલભાઇ જોષી તેમજ બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા વિણાબેનને શ્રધ્ધાંજલી અર્પણ કરાયા હતા.