News of Monday, 8th August 2022
અમરેલીમાં પરેશ ધાનાણીએ શ્રી રામધૂનની રમઝટ બોલાવી
અમરેલી તા.૮: અમરેલી શહેરના જેશીંગપરા, રામપરા વિસ્તારના નવા રામજી મંદિરે રામધુનનો પ્રારંભ થયો છે વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશભાઈ ધાનાણીએ શ્રી રામધુનની રમઝટ બોલાવી હતી.
૮ મા વાર્ષિકોત્સવ નિમિત્તે અખંડ રામ ધૂન જાપ તેમજ ગૌમાતાને લીલો ચારો અને કૂતરાને લાડુ તેમજ પક્ષીઓ ને ચણ તેમજ બાળકોને અલ્પાહારની પ્રસાદી સાથે તા.૬/૮/૨૦૨૨ શનિવારે સવારે ૫ કલાકે પ્રારંભ કરાયો છે. જેમાં અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી હાજર રહ્યા હતા. જય શ્રી રામની ધૂનની તેઓએ રમઝટ બોલાવી હતી.
(1:13 pm IST)