સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

જામનગરના લતીપુરની પ્રા. શાળા ખાતે કલા મહોત્‍સવ

ધ્રોલ : પી પી આચાર્ય એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા લતીપુર ખાતે સી.આર.સી કક્ષાનો કલા મહોત્‍સવ તેમજ હર ઘર તિરંગા બંને સ્‍પર્ધાઓ યોજવામાં આવેલ. વિજેતા થયેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્‍કાર તેમજ મોમેન્‍ટો અર્પણ કરી તેમને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા. આ કાર્યક્રમમાં ઉમેશભાઈ આચાર્ય સી.આર.સી કો-ઓર્ડીનેટર રાજેશભાઈ જીલરીયા, શાળાના આચાર્ય ખ્‍યાર સરફરાજભાઇ તેમજ જુદી જુદી શાળામાંથી પધારેલા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લઈ અને કલાના કામણ પાથર્યા હતા. કાર્યક્રમને અંતે સંસ્‍થાના પ્રમુખ સનીભાઈ યુ આચાર્ય દ્વારા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું.(તસ્‍વીર-અહેવાલ : હસમુખરાય કંસારા ધ્રોલ)

(12:04 pm IST)