સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

પોરબંદરના ટુકડા ગામે બિમારીથી કંટાળી મુંધીબેન ઓડેદરાનો ઝેરી દવા પી આપઘાત

મેર પરિવારના વૃધ્‍ધાએ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૮: પોરબંદરના ટુકડા ગામે રહેતાં મુંધીબેન ભીમાભાઇ ઓડેદરા (મેર) (ઉ.વ.૬૪) નામના વૃધ્‍ધાએ ઝેરી ટીકડી પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મુંધીબેને ગઇકાલે સાંજે સાડા ચારેક વાગ્‍યે વાડીએ હતાં ત્‍યારે મગફળીમાં છાંટવાની દવા પી લેતાં સ્‍થાનિક હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોડી રાતે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ બગવદર પોલીસને જાણ કરી હતી. મુંધીબેનને સંતાનમાં બે પુત્ર છે. તેમના પતિ ભીમાભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. બિમારીથી કંટાળી જઇ તેમણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(12:48 pm IST)