સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી યોગી સ્વરૂપ સ્વામી બ્રહ્મલીન થયા

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો માં ઘેરો શોક છવાઈ ગયો:આજે રાત્રિના 8 વાગ્યા થી દસ વાગ્યા સુધી જુનાગઢ બીએપીએસ મંદિર ખાતે દર્શન માટે રાખવામાં આવશેકાલે રાજકોટ ખાતે મંગળવારે સવારે ૭થી ૯ બીએપીએસ મંદિર કાલાવડ રોડ ખાતે અંતિમ દર્શન થશે: ગોંડલ અક્ષર મંદિર ખાતે અગ્નિ સંસ્કાર વિધિ સવારે 11 થી 12 ની વચ્ચે થશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના સ્વામી ધર્મ વિનય દાસ સ્વામીએ ઘેરા શોકની લાગણી સાથે જણાવેલ કે જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી યોગી સ્વરૂપ સ્વામી બ્રહ્મલીન થયા છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો માં ઘેરો શોક છવાઈ ગયો
આજે રાત્રિના 8 વાગ્યા થી દસ વાગ્યા સુધી જુનાગઢ બીએપીએસ મંદિર ખાતે દર્શન માટે રાખવામાં આવશેઆવતીકાલે રાજકોટ ખાતે મંગળવારે સવારે ૭થી ૯ બીએપીએસ મંદિર કાલાવડ રોડ ખાતે અંતિમ દર્શન થશે ગોંડલ અક્ષર મંદિર ખાતે અગ્નિ સંસ્કાર વિધિ સવારે 11 થી 12 ની વચ્ચે થશે
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લેનાર અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજના અતિ કૃપાપાત્ર અને સાધુતાએ સંપન્ન વડીલ સંત પૂ. યોગીસ્વરૂપ સ્વામી આજ રોજ તારીખ ૮/૩/૨૧, સોમવારે , સાંજે ૪:૩૦ કલાકે હાર્ટ એટેક આવવાને કારણે ૭૨ વર્ષની વયે ધામમાં પધાર્યા છે.
રાજકોટમાં શરૂઆતના સમયમાં ખૂબજ વિષમ પરિસ્થિતિમાં પણ ૩૮ વર્ષ સુધી સેવા કરીને શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરી સત્સંગનો અનેરો વિકાસ કર્યો હતો. ત્યારબાદ છેલ્લા ૮ વર્ષથી જૂનાગઢ મંદિરમાં મહંત તરીકે સેવા આપી રહ્યા હતા.
સેવા , સાદગી , સંયમ અને સમજણ જેવા અનેક ગુણોથી સંતો - ભક્તોનો રાજીપો મેળવનાર આદર્શ સંતની વિદાયથી બી.એ.પી.એસ. સંસ્થાને બહુ મોટી ખોટ પડી છે. પ.પૂ. મહંતસ્વામી મહારાજે પણ તેઓની સેવા - ભક્તિને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા છે.
પ.પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી તેઓની અંતિમ દર્શન વ્યવસ્થાનું આયોજન નીચે મુજબ કરેલ છે.
જૂનાગઢ ખાતે  અંતિમદર્શન લાભ  તા.૮/૩/૨૧, સોમવાર, રાત્રે ૮ થી ૧૦
રાજકોટ ખાતે અંતિમદર્શન લાભ તા. ૯/૩/૨૧,મંગળવાર, એકાદશી સવારે ૭ :૦૦ થી ૯:૦૦
મહાતીર્થધામ અક્ષરમંદિર ગોંડલ ખાતે અગ્નિસંસ્કાર વિધિતા.૯/૩/૨૧,મંગળવાર,એકાદશી
સવારે ૧૧ :૦૦ થી ૧૨:૦૦
 જે તે શહેરના ભક્તો - ભાવિકોએ અત્રે જણાવેલ સમયે જ અંતિમ દર્શનનો લાભ પ્રાપ્ત કરવો. કોરોનાની પરિસ્થિતિને કારણે ગોંડલ મુકામે અતિ પ્રાસાદિક અક્ષરઘાટ ખાતે યોજાનાર અગ્નિસંસ્કાર વિધિમાં કોઈ હરિભક્તોએ પધારવું નહિ પરંતુ કેવળ સંતોની સંનિધિમાં જ વિધિ સંપન્ન થશે જેની સહું કોઈએ નોંધ લેવી.
રાજકોટ અને જૂનાગઢ સંતમંડળ વતી,
સેવક બ્રહ્મતીર્થદાસ અને
સેવક ધર્મવિનયદાસના જય સ્વામિનારાયણ

(9:47 pm IST)