સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

કુંવરજીભાઇએ કોરોના રસીનો વિંછીયામાં પ્રથમ ડોઝ લીધો

આટકોટ, તા. ૮ :  રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયાની સરકારી હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ વેકસીનનો ડોઝ લીધો હતો. ૬૦ વર્ષની ઉપરના લોકોએ કોરોના વેકસીનનો ડોઝ લેવા માટે સરકારે જે ગાઇડ લાઇન છે તે મુજબ આજે કોરોના વેકસીનનો ડોઝ લીધો છે. આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ લોકોને અપીલ કરી છે કે કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કોરોના વેકસીન ડોઝ સમય રસ લેવા જોઇએ.

(12:16 pm IST)