News of Monday, 8th March 2021
કુંવરજીભાઇએ કોરોના રસીનો વિંછીયામાં પ્રથમ ડોઝ લીધો
આટકોટ, તા. ૮ : રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયાની સરકારી હોસ્પિટલ ખાતે કોવીડ-૧૯ વેકસીનનો ડોઝ લીધો હતો. ૬૦ વર્ષની ઉપરના લોકોએ કોરોના વેકસીનનો ડોઝ લેવા માટે સરકારે જે ગાઇડ લાઇન છે તે મુજબ આજે કોરોના વેકસીનનો ડોઝ લીધો છે. આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ લોકોને અપીલ કરી છે કે કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કોરોના વેકસીન ડોઝ સમય રસ લેવા જોઇએ.
(12:16 pm IST)