સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th November 2020

મોરબી, વાંકાનેર તાલુકામાં કોરોનાના ૧૬ કેસ : ૧૫ ડીસ્ચાર્જ

મોરબી,તા.૭: મોરબી અને વાંકાનેર તાલુકામાં કોરોનાના નવા ૧૬ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૫ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.

નવા કેસમાં મોરબી તાલુકાના ૧૧ કેસોમાં ૦૫ ગ્રામ્ય અને ૦૬ શહેરી વિસ્તારમાં જયારે વાંકાનેર તાલુકાના ૦૫ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં મળીને કુલ ૧૬ કેસો નોંધાયા છે તો વધુ ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૨૯૭ થયો છે જેમાં ૧૪૧ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં ૨૦૨૮ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:28 am IST)