વિરપુર (જલારામ) સ્વામીનારાયણ મંદિરે કાલે દશાબ્દી-શાકોત્સવ
રાજકોટ તા.૬ : શ્રી સ્વામીનારાયણ મંદિર વિરપુર (જલારામ)નો દશાબ્દી મહોત્સવ તથા ભવ્ય શાકોત્સવ કાલે તા.૭ના બુધવારે વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના શુભ આર્શિવાદથી અને હરિદ્વાર સ્વામીનારાયણ આશ્રમના સંસ્થાકની પ.પૂ.સદ્દગુરૂ શાસ્ત્રી શ્રી હરિ વલ્લભદાસજી સ્વામીના શુભ સંકલ્પથી ધામધુમથી ઉજવાશે.
મહોત્સવ અધ્યક્ષ ગુરૂવર્ય પૂ.સદ્દગુરૂ શાસ્ત્રી શ્રી હરિવલ્લભદાસજી સ્વામી મહંત શ્રી રાજકોટ અને હરિદ્વાર સ્વામીનારાયણ આશ્રમના સંસ્થાપક હરિદ્વાર વૃંદાવન અધ્યક્ષ તરીકે બિરાજશે.
યજમાન તરીકે રવજીભાઇ ઠાકરશીભાઇ ગાજીપરા ઉપસ્થિત રહેશે. ધામધુમથી વંદનીય સંતો પધારી દર્શન, પ્રવચનનો લાભ આપશે. વિરપુર (જલારામ) સત્સંગ સમાજ વતી શાસ્ત્રીશ્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામીએ સૌ હરિભકતોને સહ પરિવાર મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવેલ છે.
રાજકોટ મુખ્ય સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડના દેવ ઉત્સવ મંડળ, રાજકોટ (ફોનઃ ૦૨૮૧-૨૨૩૨૪૯૪) સવારના ૮ થી ૯-૩૦ સુધી કિર્તનોત્સવ થશે. દરમિયાન આખા દિવસ કાર્યક્રમોમાં જળયાત્રા, કથાવાર્તા, રાસોત્સવ, પાટોત્સવ અભિષેક, મહાપુજા, અનકોટ આરતી, સંતોના આર્શીવાદનો ક્રમ રહેશે. સમગ્ર સભાનું સંચાલન અને આભારદર્શન શાસ્ત્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી કરશે. તેમ સત્સંગી સેવક મનસુખભાઇ એમ. પરમારની યાદીમાં જણાવાયુ છે. (૩-૧૨)