ગુરૂવારે વિજયભાઇ રૂપાણી સાવરકુંડલામાં: પૂ. મોરારીબાપુની શ્રીરામકથાનું રસપાન કરશે
અમરેલી તા. ૬ :.. લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરનાં વિકાસ સબબ ચાલી રહેલ કથામાં શ્રી વિજય રૂપાણી હાજર રહેશે. ડો. ભરત કાનાબાર તથા સાંસદ શ્રી નારાયણ કાછડીયાની મહેનત રંગલાવી હાલ સાવરકુંડલાનાં આંગણે લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરનાં આજીવન નિર્વાહ માટે પૂજય મોરારીબાપુની રામ કથા ચાલી રહી છે.
આ રામ કથામાં મુખ્યમંત્રી પધારે તેવી લોકોની લાગણી હતી જે લાગણી સાવરકુંડલાનાં અગ્રણીઓ દ્વારા પ્રદેશ અગ્રણી ડો. ભરત કાનાબાર તથા અમરેલીનાં સાંસદ નારાયણભાઇ કાછડીયાને રજૂઆત કરાઇ હતી જેથી કાનાબારની અને સંસદની મહેનત રંગ લાવી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તારીખ ૮ ફેબ્રુઆરીનાં રોજ સાવરકુંડલામાં પધારી રહ્યા હોય લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ છે અને તંત્ર પણ તૈયારીમાં લાગી ગયુ છે. (પ-૧૬)