રિદ્ધિ સિદ્ધિ ચોકથી અમરેલી રોડ સુધીના રોડનું કામ ચાલુ
(દિપક પાંધી ) સાવરકુંડલાઃ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે જેમાં અમરેલી રોડ આશ્રમ પાસેથી રિદ્ધિ સિદ્ધિ ચોક સુધી ખુબજ મોટા ગાબડા તેમજ રોડ તૂટી ગયેલ હોઈ જે રીપેરીંગ કરવા માટે સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર રાષ્ટ્રીય ધોરી માર્ગ પેટા વિભાગ ને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી તેમજ નેશનલ હાઇવેના એસ.ઓ શ્રી કાતરીયાને સ્થળ નિરીક્ષણ કરાવેલ અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા જણાવેલ હતું જે રજૂઆતને ધ્યાનમાં રાખી આ રોડનું કામ ચાલુ કરવામાં આવતા વાહન ચાલકોએ રાહતના શ્વાસ લીધા છે અને શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાય ગયો છે આ તકે અમરેલી જીલ્લા ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખશ્રી પ્રવિણભાઈ સાવજ, શહેર ભાજપ મહામંત્રીશ્રી રાજેશભાઈ નાગ્રેચા, મહામંત્રી શ્રી વિજયસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.