વાંકાનેરમાં માલધારી સમાજ દ્વારા મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નિકળીઃ ઠેર ઠેર સ્વાગત કરાયુ
જીતુભાઇ સોમાણી, મહારાણાશ્રી કેશરીદેવસિંહજી ઝાલા તથા સકીલભાઇ પીરઝાદા તેમજ અશ્વિનભાઇ મેઘાણી તેમજ અન્ય આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૫ : વાંકાનેરમાં માલધારી સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષ પણ અષાઢી બીજના રોજ ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.
સવાર અગિયાર કલાકે તાલુકા શાળા-૧ સામે આવેલ મચ્છુ માતાજીનો મઢ આવેલ છે. ત્યાંથી પ્રસ્થાન થયેલ શોભાયાત્રાનું પ્રથમ શકિલભાઇ પીરઝાદા તથા અશ્વિનભાઇ મેઘાણી દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ રસાલા રોડ, જીનપરાચોક, હાઇવે જકાતનાકા, મીલ પ્લોટ ચોક થઇને મીલ પ્લોટ ચોકમાં આવેલ મચ્છુ માતાજીના મંદિર પહોંચેલ ડી.જે.ના સથવારે માલધારી ભાઇઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
ગેલાભાઇ ડાભી (નાત પટેલ) તથા હીરાભાઇ બાંભવા (ટ્રસ્ટી પટેલ)ની આગેવાની હેઠળ નિકળેલી શોભાયાત્રામાં હજારો માલધારી ભાઇઓ ઉમટી પડેલ હતા.
શોભાયાત્રા હાઇવે જકાતનાકા પાસે પહોંચતા ત્યાં શોભાયાત્રાનું મહારાણા શ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ સ્વાગત કરેલ હતું. ત્યારબાદ હાઇવે ચાર રસ્તે શોભાયાત્રા પહોંચતા ત્યાં પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમાણીએ આ ભવ્ય શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતું. શહેર પોલીસ તથા જી.આર.ડી.ના જવાનોએ બંદોબસ્ત જાળવી રાખેલ હતો.