કોડીનાર ભાજપના માનસિંગભાઈ જાદવની સરાહનીય કામગીરી
કોડીનાર, તા. ૫ : ખેડૂત પરિવારમાં જન્મેલા અને યુવાવયથી ભારતીય જનતા પાર્ટીનાં રંગે રંગાયેલા માનસિંગભાઈ હંમેશા સેવાકાર્ય અને વિકાસને મહત્વ આપે છે. વોર્ડ નં બર ૧. માં કોપોરેટર તરીકે ચૂંટાયા બાદ કાયમી માટે વહેલી સવારે સફાઈ કામનું નિરીક્ષણ કરે છે તેમજ સદસ્ય તરીકે ચૂંટાયા પછી વોર્ડ નંબર ૧ તથા આજુબાજુ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના, પાકાં અને મજબૂત રોડ રસ્તાનાં કામો, પેવર બ્લોકનાં કામો, પાણી સંગ્રહની વ્યવસ્થા સાર્વજનિક જગ્યાઓનો સદુપયોગ વગેરે કામો માનસિંગભાઈ જાદવના કાર્યકાળ દરમ્યાન થયા છે.
તેમના વોર્ડમાં રોજ સવાર સાંજ માઈક દ્વારા ભગવાનની ભક્તિનાં ભજન એને કીર્તનથી સોસાયટીનાં લોકોની સરાહના મેળવી છે. એમનો નગર સેવક તરીકેનો સફળ, પારદર્શક અને વિકાસથી ભરપૂર મજબૂત કાર્યકાળ રહ્યો છે. માનસિંગભાઈ બાર વર્ષથી જાહેર જીવનમાં પ્રજાલક્ષી સેવાનું ભગીરથ કાર્ય કરતા સામાન્ય લોકોમાં લોકપ્રિય થયા છે. લોકસેવા તથા ગરીબોની મદદના હેતુથી માનસિંગભાઈ એશિવા ફાઉન્ડેશનની સ્થાપના કરી તાલુકામાં અનેક રાહતકાર્યો અને સેવાકીય પ્રવિત્તિઓ કરી રહ્યા છે.