જુનાગઢનાં પાતાપુરની પરિણીતાને પહેરેલ કપડે દિકરી સાથે સાસરિયાએ કાઢી મુકી
લગ્નનાં છ માસ બાદ પતિ વગેરેએ પોત પ્રકાશ્યું
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૪: જુનાગઢનાં પાતાપુરની પરિણીતાને સાસરિયાએ પહેરેલ કપડે દિકરી સાથે કાઢી મુકી હોવાની મહિલા પોલીસમાં ફરિયાદ થઇ છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ મહુવાના સેંદરડા ગામનાં અને જુનાગઢના પાતાપુર મહુવાનાં સેંદરડા ગામનાં અને જુનાગઢના પાતાપુર ગામે રહેતા મનીષાબેન રમેશ ઠુંમર (ઉ.વ. ૩૭) ના લગ્ન ગોંડલનાં મોટીયાળા રમેશ કાનજીભાઇ ઠુંમર સાથે વર્ષ ર૦૧૧ માં થયેલ.
પરંતુ લગ્ન જીવનનાં છ માસ બાદ પતિ રમેશ ઠુંમર કમાતો ન હોય તેથી પત્ની મનીષાએ બ્યુટી પાર્લર શરૂ કરેલ.
પરંતુ પતિ રમેશે ખોટી શંકાઓ કરી મનીષાબેનને પરેશાન કરવાનું શરૂ કરેલ.
તેમજ નણંદ જયાબેન વલ્લભ રૈયાણી, ચંપાબેન રાજેશ ભુત, મુકતાબેન રાજેશ માવાણી અને નણદોયા વલ્લભભાઇ રૈયાણીની ચડામણીથી માર મારી દુઃખ ત્રાસ આપી મનીષાબેનને પહેરેલ કપડે દિકરી સાથે ઘરમાંથીકાઢી મુકી હોવાની ફરિયાદ થતાં જુનાગઢનાં મહિલા પી.આઇ. આર. બી. સોલંકીએ તપાસ હાથ ધરી છે.