News of Saturday, 4th December 2021
નરેશભાઇ પટેલ ધોરાજીમાં: સ્વાગત
ધોરાજી તા. ૪ :.. ખોડલધામ મંદિર કાગવડના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને તા. ર૧-૧-રર ના રોજ પાંચ વર્ષ પુર્ણ થતા અને ભવ્ય પંચમ પાટોત્સ્વ -ર૦રર ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેશભાઇ પટેલ આમંત્રણ આપવા માટે આજે ધોરાજી તાલુકામાં આવી રહ્યા હોય આજે બપોરે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
શ્રી લેઉઆ પટેલ, સાંસ્કૃતિક ભવન જુના બસ સ્ટેન્ડ વિભાગ-૧ ખાતે આયોજીત કાર્યક્રમમાં શ્રી નરેશભાઇ પટેલનું ખોડલધામ તાલુકા સમિતિ અને યુવાનોની ટીમ દ્વારા સ્વાગત માટેની તમામ તૈયારીઓ પુર્ણ થઇ ગઇ હોવાનું જણાવાયું છે.
(12:07 pm IST)