જુનાગઢનાં વેપારીની સ્વીફટકાર બારોબાર વેચી નાંખી છેતરપીંડી
રૂા.૭૦ હજારના ત્રણ શખ્સોએ ભાગ પણ પાડી લીધા
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૪ : જુનાગઢના એક વેપારીની સ્વીફટ કાર બારોબાર વેચી નાખી ત્રણ શખ્સોએ છેતરપીંડી આચરીને રૂા.૭૦ હજારના ભાગ પણ પાડી લીધા હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે. જુનાગઢમાં સાંઇબાબા સોસાયટીમાં રહેતા વેપારી રાજભાઇ હરેશભાઇ ગઇજાની જીજે ર૩ એ ૪૮૪૧ નંબરની સ્વીફટ કાર માળીયા હાટીનાના પ્રતિક નરસિંહભાઇ વાળાએ ભાડે આપવા લઇજઇ પ્રતિકના ભાઇ પાર્થના કહેવાથી કારની ચાવી માળીયાના ભાવિન મનસુખભાઇ પરમારને આપી હતી. બાદમાં આ ત્રણેય શખ્સોએ રાજભાઇની કાર જુનાગઢનાં સાગર લોઢીયાને ગીરવે મુકી જે પેટે રૂા.૭૦ હજાર મેળવીતેના ભાગ પાડી લીધા હતા. આ પછી સાગર લોઢીયાએ વેરાવળના રામભાઇને કાર સોંપી દઇ વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગેની ફરિયાદ આધારે પી.એસ.આઇ. શ્રી ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.