જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના પુર્વ કુલપતિ ડો.એ.આર.પાઠકને લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ
જૂનાગઢ તા.૪ : દિલ્હીથી પ્રકાશિત થતા કૃષિ મેગેઝીન એગ્રીકલ્ચર ટુડે દ્વારા જૂનાગઢ કૃષિ યુનિ.ના પુર્વ કુલપતિ ડો.એ.આર.પાઠકને લાઇફટાઇમમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનીત કરાયા છે.
રાષ્ટ્રીય કક્ષાના દિલ્હીથી પ્રકાશીત થતા કૃષિ મેગેઝીન એગ્રીકલ્ચર ટુડે દ્વારા દર વર્ષે જૂદી જૂદી સંસ્થાઓ તથા કૃષિ વૈજ્ઞાનિકોને અલગ અલગ કેટેગરીમાં તેમના વિશિષ્ટ યોગદાન બદલ કૃષિક્ષેત્રના એવોર્ડ વડે સન્માનીત કરાયા છે. આ વર્ષે કોરોના મહામારીને લીધે ઓવોર્ડ વિતરણ સમારોહ ઓનલાઇન યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિ શિક્ષણમાં આપેલ વિશિષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીયકક્ષાએથી લાઇફટાઇમ અચીવમેન્ટ એવર્ડ જૂનાગઢ કૃષિ યુનિ.ના પુર્વ કુલપતિ ડો.એ.આર.પાઠકને એનાયત થયેલ છે.
આ એવોર્ડ સમારંભ ભારત સરકારના કૃષિ સચિવ અને આઇસીએઆરના ડાયરેકટર જનરલ ડો. ત્રિલોચન મહાપાત્રના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમાં ડો.એમ.જે.ખાન, ચેરમેન આઇ.સી.એફ.એ નવી તેમજ દેશની કૃષિ યુનિ.ના કુલપતિશ્રી અને મહાનુભાવોએ ભાગ લીધેલ.