સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd February 2023

ભુજ આયુર્વેદ હોસ્પિટલ ખાતે શનિવારે કુપોષણ નિવારણ તથા સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

 

ભુજ:સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૦૪/૦૨/૨૦૨૩ના શનિવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે '' સુવર્ણપ્રાશન કેમ્પ '' યોજાશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉંમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા "સુવર્ણ પ્રાશનનાં ટીપાં" નિઃશુલ્ક સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે. તથા '' કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે જેમાં કુપોષિત નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

 

સુવર્ણપ્રાશનના ફાયદાઓ:સુવર્ણપ્રાશન મેધા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળું, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ (શરીરના વર્ણને ઉજળો કરનાર ) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગો થી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાતને યાદ રાખવાવાળું) બને છે, અર્થાત તેની સ્મરણશક્તિ ખૂબ જ વધે છે તેવું વૈધપંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલની અખબારી યાદીમાં જણાવાયું છે

   

(12:18 am IST)